વાંકાનેરના પીપળીયારાજ ગામે યુવાનની લાશ મળવા મામલે હત્યાનો ગુન્હો નોંધાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ગઈકાલે યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળવા મામલે વાંકાનેર તાલુકા પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજન વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે મકબુલભાઈની વાડીની ઓરડીમાંથી રવીત ડુંગરસિંહ બામનીયા ઉ.22 નામના યુવાનની લાશ મળી આવતા આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના ભાઈ સૂકુંભાઈ ડુંગરસિંહ બામનીયાની ફરિયાદને આધારે બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યા કરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text