ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોએ મંદિરને પણ ન છોડ્યું

- text


તસ્કરો વિરસોડીયા પરીવારના કુળદેવી માતા મંદિરે ચાંદીના છતર હાર અને દાનપેટી ઉઠાવી ગયા 

ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોએ મંદિરને પણ ન છોડ્યું હોય એમ આ તસ્કરો વિરસોડીયા પરીવારના કુળદેવી માતા મંદિરે ચાંદીના છતર હાર અને દાનપેટી ઉઠાવી ગયા હોવાનું જાણવા મળે છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ભકતિનગર વિસ્તારમાં આવેલ વિરસોડીયા પરીવારના કુળદેવી માતા મંદિરે ચાંદીના છતર હાર અને દાનપેટી ઉઠાવી ગયા હતા.આ ચોરી કરનાર તસ્કરો સિસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. જો કે, પોલીસ આવા ચોરીના ગંભીર બનાવોમા ખાસ કશું જ ઉકાળી શકતી ન હોવાનો નગરજનોએ આક્ષેપ કર્યો છે.

- text