આગામી તા. 30 જૂને હળવદમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન

- text


હળવદ : આગામી તારીખ 30 જૂનના રોજ હળવદમાં સ્વ. ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા યુવા મોરચા હળવદ શહેર તથા ગ્રામ્ય દ્વારા સ્વ. ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે 30 જૂન ને શુક્રવારના રોજ સવારે 9-30 થી બપોરે 1-30 સુધી હળવદના ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે રાજોધરજી હાઈસ્કૂલ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાશે. તો રક્તદાન કેમ્પમાં સહભાગી થઈને રક્તદાન કરવા સર્વેને અપીલ કરવામાં આવી છે. એકત્ર થનાર રક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અર્પણ કરવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક- 9727366100, 8000848444, 9909626542, 7874559075 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text