- text
અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના મોભીઓની સાથે રાજકીય આગેવાનોનું કરાશે બહુમાન
હળવદ : હળવદમાં બિપરજોય વાવાઝોડાની કપરી સ્થિતિ વચ્ચે સેવાની જ્યોત જલાવનાર દરેક લોકોને સન્માનવા માટે એક્ટિવ ગ્રુપ દ્વારા 30મીએ ઉત્કૃષ્ટ સેવા સન્માન કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
તાજેતરમાં બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં સ્થળાંતરીત આશ્રિતો તેમજ જરૂરિયાતમંદ લોકોની નિષ્ઠાપૂર્વક સેવા કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના મોભીઓની સાથે રાજકીય આગેવાનો અને પત્રકાર મિત્રો સહિતનાઓ દ્વારા ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડવામાં આવી હતી.
આ કામગીરીને બિરદાવવા એક્ટીવ ગ્રુપના મેહુલભાઈ ભરવાડ, બળદેવભાઈ ભરવાડ અને મયુરભાઈ રાવલ દ્વારા ઉત્કૃષ્ટ સેવા સન્માન કાર્યક્રમનું આયોજન તા.30ને શુક્રવારે સાંજે 5:30 થી 6:30 સુધી જનતા ફૂડ મોલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં પૂ. ભક્તિનંદનદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વરૂચી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
- text
- text