વાંકાનેરના સતાપર ગામે ખેડૂતની દીવાલ પડતાં તુરંત સહાયની ચૂકવણી 

- text


વાંકાનેર : તાલુકાના સતાપર ગામે બીપરજોય વાવાઝોડામાં ખેડૂતની દીવાલ પડી જતા જરૂરી કાર્યવાહી કરી સરકારની સહાય આપવવામાં આવી હતી.

બીપરજોય વાવાઝોડામાં અનેક લોકોને નુકસાન થયા છે ત્યારે તાલુકાના સતાપર ગામે એક ખેડૂતની દીવાલ ધરાશાઈ થતાં ઘટનાની જાણ થતા તાલુકા પંચાયત સદસ્ય જીજ્ઞાસાબેન મેર ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ખેડૂતને થયેલ નુકસાની અંગેનો તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરાવી સરકારમાંથી સહાય ચૂકવવા બાબતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરિણામે ખેડૂતને તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેરનાં પ્રયાસોથી સહાય મળી મળી ગઈ છે. જે બાબતે મેરે સરકારી તંત્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text