મોરબીના ગજાનંદ પાર્કમાં અશાંત ધારો લાગુ કરો : કલેક્ટરને રજુઆત

- text


કરણીસેનાની આગેવાની હેઠળ સ્થાનિક નાગરિકોએ આવેદન પાઠવ્યું

મોરબી : મોરબી શહેરના ગજાનંદ પાર્ક સોસાયટી વિસ્તારમાં બહુમત હિન્દૂ સમાજની વસ્તી હોય અહીં લઘુમતી સમાજને મકાનની લે વેચ ન કરવામાં આવે તે માટે અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આજે કરણીસેનાની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ગજાનંદ પાર્ક સોસાયટીમાં હાલમાં વિશાળ હિન્દૂ વસ્તી વસવાટ કરી રહી છે ત્યારે અહીં ભવિષ્યમાં લઘુમતી સમાજને મકાન કે ફ્લેટ, દુકાન વેચવામાં ન આવે તે માટે અશાંત ધારો લાગુ કરાવવા ગજાનંદ પાર્ક સોસાયટીના પ્રમુખ જયદેવસિંહ જાડેજા તેમજ ગજાનંદ પાર્ક પરિવારના રહીશો સાથે મોરબી કરણી સેના ટીમના જિલ્લા પ્રમુખ મનોજ સિંહ જાડેજા તેમજ કરણી સેનાના હોદેદારો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- text

- text