વાવાઝોડાં નુકસાનીનો તાગ મેળવવા આપ પ્રદેશ પ્રમુખ મોરબીની મુલાકાતે

- text


મોરબી : બિપરજોય વાવાઝોડાંની સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં અસર વર્તાઈ હતી. જેમાંથી મોરબી જિલ્લામાં વાવાઝોડાંને લઈને ઘણું નુકસાન થયું હતું ત્યારે આ વાવાઝોડાંની અસરનો તાગ મેળવવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મોરબીની મુલાકાતે આવ્યા હતા. જેમાં વાવાઝોડાંથી થયેલા નુકસાન વિશે ચર્ચા કરી હતી તેમજ મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોના ખબર અંતર પણ પુછ્યા હતા. આ મુલાકાતમાં કૈલાશદાન ગઢવી, જેવલબેન, અમદાવાદ શહેર પ્રમુખ બિપીનભાઈ તેમજ બીજા સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text