મોરબી પેપરમિલ એસો. અસરગ્રસ્તોની વ્હારે, 4 હજાર ફૂડ પેકેટ, 2 હજાર બોટલ પહોંચાડી

- text


મોરબી : મોરબી પેપરમિલ એસોસિએશન વાવઝોડા અને વરસાદના અસરગ્રસ્તોની વ્હારે આવ્યું છે અને અસરગ્રસ્તોની મદદ માટે પેપરમિલ એસો.એ 4 હજાર ફૂડ પેકેટ, 2 હજાર બોટલની સહાય પહોંચાડી છે.

મોરબી જિલ્લામાં વાવઝોડાને પગલે અગમચેતીના ભાગરૂપે અગાઉથી તંત્ર દ્વારા હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યારે અસરગ્રસ્તોના આશ્રયસ્થાન ઉપર વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી મદદ માટે તત્પર રહી ભોજન સહિતની સામગ્રી પુરી પાડે છે. ત્યારે અસરગ્રસ્તોની વ્હારે મોરબી પેપરમિલ એસોસિએશન આવ્યું છે અને પેપરમિલ એસોસિએશન દ્વારા અસરગ્રસ્તોની મદદ માટે 4 હજાર ફૂડ પેકેટ અને 2 હજાર મિનરલ બોટલની સહાય કલેક્ટર કચેરીએ પહોંચાડી છે.

- text

- text