મોરબીમાં સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પ યોજાયો

- text


રક્તદાન કેમ્પમાં 41 બોટલ રક્ત એકત્ર થયુ

મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા ગુરુલાભદે હોલ ખાતે આજે તારીખ 9 જૂન ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન સ્વ. ગોદાવરીબેન પોપટભાઈ કાસુન્દ્રાને શ્રદ્ધાંજલિ આપવા માટે કાસુન્દ્રા પરિવારે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 41 રક્તની બોટલ એકઠી થઈ હતી. ગુરુલાભદે હોલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓનો સારો સહકાર મળ્યો હતો અને રક્તદાતાઓએ સ્વર્ગસ્થ ગોદાવરીબેન કાસુન્દ્રાને રક્તદાન કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. આ રક્તદાન કેમ્પમાં 41 લોકોએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં સંસ્કાર બ્લડ બેંકનો સહકાર મળ્યો હતો.

- text

- text