- text
મોરબી : આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી સબજેલ ખાતે ઈન્ચાર્જ જેલર પી. એમ. ચાવડાની પુત્રી કુ. રિધ્ધબેન પી. ચાવડાએ ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૬ પી. આર મેળવી પાસ કરેલ છે. ઉત્કૃષ્ટ પરિણામ મેળવી ગૌરવ વધારવા બદલ રિધ્ધબેનને નવયુગ સ્કુલ મોરબી, ચાવડા પરિવાર તેમજ જેલ વિભાગ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
- text
- text