મોરબીમાં 1થી 7જૂન શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ યોજાશે

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 1 જૂન થી 7 જૂન સુધી શ્રી હરિયુવા જ્યોત શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મોરબી દ્વારા ગુરુઋણ મુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 1 જૂન ને ગુરુવારથી 7 જૂન ને બુધવાર સુધી પ્રેમપ્રકાશ સ્વામીના આશીર્વાદ અને પ્રેરણા અને સત્સંગજીવનદાસજી સ્વામીના અધ્યક્ષતામાં મોરબીના ક્રિષ્ના સ્કૂલની પાછળ ધુનડા રોડ પર સનસિટી ગ્રાઉન્ડ નૈમિષારણ્ય કથા ધામ ખાતે આ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ યોજાશે. કથાના વક્તાપદે શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી બીરાજી દરરોજ રાત્રે 9 થી 11-30 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. સાથે જ કથા દરમિયાન રાત્રે 8-30 થી 11-30 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાનું લાઈવ પ્રસારણ કર્તવ્ય ચેનલ અને SMSM યુટ્યૂબ ચેનલ પર કરવામાં આવશે. આ કથામાં અનેક સંતો-મહંતો હાજરી આપશે. તો આ કથાનો લાભ લેવા સર્વે હરિભક્તોને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text