હળવદ તાલુકામાં નર્મદા કેનાલ ચાલુ કરવા મુખ્યમંત્રીને રજુઆત

- text


હળવદ : હળવદ તાલુકામાં નર્મદા કેનાલ ચાલુ કરવા બાબતે હળવદમાર્કેટિંગ યાર્ડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરવામાં આવી છે.

હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન આર.એલ.પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી લેખિત રજુઆત જણાવ્યું છે કે, હળવદ તાલુકો ખેતી આધારિત તાલુકો છે અને પિયતનો આધાર મોટેભાગે કેનાલ પર રાખવો પડે છે. હાલ ખેડૂતોને પાણીની ખૂબ જ જરૂરિયાત છે તેથી કેનાલમાં ઝડપથી પાણી છોડવામાં આવે તો આગોતરું વાવેતર સારું થશે અને ઉત્પાદન વધશે. તેથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text

- text