મોરબીના જીકિયારી ગામે આજથી ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


મોરબી : મોરબીના જીકિયારી ગામના આંગણે શિવ મંદિરના સાનિધ્યમાં બાવરવા પરિવાર આયોજિત આજે તા.13થી 15 મેં સુધી ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જીકીયારી ગામે નવનિર્માણ થયેલ શિવ મંદિરમાં નીલકંઠ મહાદેવ, જડેશ્વર મહાદેવ, નર – નારાયણ લક્ષ્મીજી, રામસિતા, હનુમાનજી મહારાજ, વિઘ્નહર્તા ગણપતિ મહારાજની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 14ના રોજ સવારે 10 કલાકે જલયાત્રા અને રાત્રે 8 વાગ્યે શોભાયાત્રાનું તથા તા.15 ના રોજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો ધર્મપ્રેમની જનતાને લાભ લેવા બાવરવા પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

- text

- text