મોરબીમાં ડેલાવાળા મામદેવનો 16મીએ પંચકુંડી મહાયજ્ઞ તથા નવરંગ માંડવો

- text


મોરબી : મોરબીમાં જુના મહાજન ચોકમાં નવયુગ ગારમેન્ટ પાસે સાયન્ટિફિકવાળી શેરીમાં આવેલ ડેલાવાળા મામદેવની જગ્યાએ વિરપુરુષ પંચકુંડી મહાયજ્ઞ તથા મોજનો નવરંગ મંડપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા.16ને મંગળવારે સવારે થાંભલી રોપણ, સાંજે 6:30 કલાકે મહા પ્રસાદ, રાત્રે 9 કલાકે ડાકની રમઝટ ત્યારબાદ તા.17ને બુધવારે સવારે થાંભલી વધામણાં કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા સર્વે ભાવિકોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text