Morbi: ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ

- text


Morbi: ભારત વિકાસ પરિષદ (મોરબી) દ્વારા ચૈત્ર વદ- 11, 4 મે ને શનિવારે વૃક્ષદેવ પરિચય કાર્યશાળાનું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું હતું.

વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગિતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા, પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે વૈદ્ય કિરીટસિંહ ઝાલા દ્વારા લગભગ 80 જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવ્યો હતો અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં 70 જેટલા ભાઈઓ-બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૌ-પાલક, નિવૃત ગ્રામ સેવક, પ્રકૃતિપ્રેમી પ્રાણજીવન ભાઈ કાલરીયા તથા મધુરમ ફાઉન્ડેશનના ડો. મધુસૂદનભાઈ પાઠક તથા વૈદ્ય ચિરાગભાઈ વિડજા તથા વૈદ્ય જાનકીબેન ગામી ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદના ડો. જયેશભાઈ પનારા, દિલીપભાઈ પરમાર, રાકેશભાઈ મેરજા, પરેશભાઈ કુંડારિયા, રજનીભાઈ જીવાણી તથા પ્રકૃતિપ્રેમી આંબાલાલ પટેલ (કવિ), ચંદ્રશેખરભાઈ, કાલરિયાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ ધોરીપાણીએ કર્યું હતું.

- text