- text
હળવદ : ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરના યુવા સંગઠનમાં મંત્રી તરીકે હળવદના યુવા ભાજપના અગ્રણીની નિમણૂક કરવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના સીદસર ખાતે ઉમિયા માતાજી મંદિર કડવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ધાર્મિક સંસ્થાની સાથે-સાથે સામાજિક સંસ્થા તરીકે પણ ઉમિયા માતાજી મંદિર પ્રસિદ્ધ છે.મંદિર ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા તેમજ સંગઠન પ્રમુખ કૌશિકભાઇ રાબડીયા ની સુચના અને માર્ગદર્શન મુજબ યુવા સંગઠનના પ્રમુખ હર્ષદભાઈ કાવર દ્વારા તાજેતરમાં જ યુવા સંગઠનમાં ચાર ઉપપ્રમુખ,બે મંત્રી,નવ સભ્યો અને પાંચ વિશેષ સામંત્રીત સભ્યોની નિમણૂકો કરવામાં આવી છે. જેમાં હળવદના યુવા ભાજપ અગ્રણી નયનભાઈ દેત્રોજા (પટેલ)ની મંત્રી તરીકે નિમણૂક કરાઈ હતી.
- text
- text