મોરબીમાં આવતીકાલે વાંકી ડોકની સારવાર માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીમાં કેશર ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા તા. ૪ મે ને ગુરુવારે સવારે ૯:૩૦ થી ૧૨ કલાકે તેમજ સાંજે ૪ થી ૮ કલાકે બીજો માળ, શિવ કોમ્પલેક્ષ, સંતોષ સિલેક્શનની બાજુમાં મોરબી ખાતે ટોર્ટિકોલિસ (ડોક ત્રાસી હોવી) ની તકલીફની સારવારનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. મીતલ રૈયાણી દ્વારા વિનામુલ્યે સારવાર કરવામાં આવશે. મોરબી તેમજ આસપાસની જનતાને આ નિદાન કેમ્પનો લાભ લેવા માટે કેશવ ફિઝીયોથેરાપી ક્લિનિક- +૯૧ ૯૭૨૭૮ ૪૧૧૦૭ પર સંપર્ક કરવાનો રહેશે.

 

- text