મોરબીના સંઘાણી પરિવાર દ્વારા સ્વજનના મોક્ષાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મુળ મોરબી તાલુકાના લક્ષ્મીવાસ ગામના રહેવાસી અને હાલ કેશવ હાઈટસ મોરબી ખાતે રહેતા શૈલેષભાઈ મગનભાઈ સંઘાણીનું ગત તા. ૨૬ એપ્રિલના હાર્ટએટેકથી 44 વર્ષની ઉંમરે અવસાન થતા સંઘાણી પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સ્વ. શૈલેષભાઈ સંઘાણીના પરિવારના લોકો, લક્ષ્મીવાસના લોકો, મિત્રમંડળ, સસરા પક્ષના લોકો તથા કેશવ હાઈટસના તમામ લોકોએ મળીને રક્તદાન કર્યુ હતું. આ રક્તદાન કેમ્પમાં 77 બોટલ જેટલું રક્ત એકઠું કરવામાં આવ્યું હતું તેમજ સંસ્કાર બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. આવા દુ:ખના સમયે પણ સ્વજનોના મોક્ષાર્થે રક્તદાન કેમ્પ કરીને એક નવો ચીલ્લો પાડ્યો છે અને સંઘાણી પરિવારે સમાજમાં એક પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

- text