વાંકાનેરમાં આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી આરોગ્ય વિભાગ તેમજ દેશળ દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સમસ્ત ખવાસ રજપૂત સમાજ- વાંકાનેર દ્વારા પ્રધાનમંત્રી યોજના મુજબ જ્ઞાતિબંધુઓ તેમજ અન્ય સમાજના જરુરિયાતમંદ પરિવાર માટે તા. ૦૩-૦૫-૨૦૨૩ને બુધવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી ખવાસ રજપૂત સમાજની વાડી, રામજી મંદિર, રામ ચોક વાંકાનેર ખાતે નિ:શુલ્ક આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ધારાસભ્ય જીતુભાઈ કાંતિલાલ સોમાણી ઉપસ્થિત રહેશે. આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ૨૦૨૨ પછીનો મામલતદાર કચેરીનો આવકનો દાખલો, રેશનકાર્ડ તેમજ આધારકાર્ડ સાથે રાખવા યાદીમાં જણાવાયું છે.

- text

- text