- text
મોરબી : ટંકારા ઉમિયા સમુહ લગ્ન સમિતિ કડવા પાટીદાર સમાજ દ્વારા આજે અખાત્રીજના પાવન પર્વ ઉપર 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર સમાજના 27 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.
અગિયાર વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આજે અખાત્રીજના પાવન પર્વે પર 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 27 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડી દાંપત્યજીવનનો શુભારંભ કર્યો હતો.આ સમૂહ લગ્નોત્સવમાં રક્તદાન, બેટી બચાવો, સ્વચ્છ ભારત, પાણી બચાવો, વૃક્ષો વાવો તેમજ પશુ-પક્ષીની જીવમાત્રની જાળવણીનો સંકલ્પ લેવાયો હતો. આ તકે મહંત દામજી ભગત, કેન્દ્ર સરકારના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ટંકારા પડધરી ધારાસભ્ય દુલભજી દેથરીયા, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, સાંસદ મોહનભાઇ કુડારીયા, માજી મંત્રી બ્રિજેશ મેરજા, બાવનજી મેતલિયા, સિદસર પ્રમુખ જેરાજ વાંસજાણીયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text