મોરબીના જોગ ડુંગરી આશ્રમ ખાતે 1 મેના રોજ નવચંડી યજ્ઞ યોજાશે

- text


મોરબી: મોરબીના મચ્છુ ડેમ ખાતેના જૂનું જોગ આશ્રમ ખાતે ગુરુદેવ ધ્યાનીશંકર મુક્તિ નારાયણની પુણ્યતિથિ નિમિત્તે તારીખ 1 મેના રોજ નવચંડી યજ્ઞનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

જોગડુંગરી આશ્રમના સાનિધ્યમાં તારીખ 1 મે ને સોમવારના રોજ ભવ્ય નવચંડી યજ્ઞ યોજાશે. યજ્ઞનો પ્રારંભ સવારે 7:30 કલાકે થશે જ્યારે બપોરે 2:30 કલાકે બીડું હોમવામાં આવશે અને બપોરે 11:30 કલાકે જોધપર, પટેલ બોર્ડિંગ, જોગેશ્વર ફાર્મ હાઉસમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી તરૂણભાઈ દવે બિરાજશે. આ યજ્ઞમાં યજમાનો દ્વારા આહુતિ આપવામાં આવશે. તો આ નવચંડી યજ્ઞનો લાભ લેવા સર્વેને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text