- text
વાંકાનેર : વાંકાનેરમાં નિરાધાર ગૌશાળા અને વિધવા બહેનો-દીકરીઓના લાભાર્થે આજે રાત્રે શ્રીનાથજીની ઝાંખી અને માં- બાપને ભૂલશો નહિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેરમાં દિવંગત સ્વ.ગીતાબેન દીપકભાઈ રાજવીરના આત્માના સ્મરણાર્થે દીપકભાઈ મોનજીભાઈ રાજવીર અને અમિતભાઈ દીપકભાઈ રાજવીર સહિતના તેમના પરિવારજનો તેમજ દ્રારકાધીશ ધૂન સેવા સત્સંગ મંડળ દ્વારા આજે તા.19ને બુધવારે રાત્રે 8-30 કલાકે લોહાણા મહાજન વાડી દિવાનપરા વાંકાનેર ખાતે વિધવા બહેનો-દીકરીઓના લાભાર્થે શ્રીનાથજીની ઝાંખી અને માં- બાપને ભૂલશો નહિનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો લોકોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.
- text
- text