મોરબીની આઇકોન રેસિડેન્સીમાં કાલે સંકટમોચન હનુમાનજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


મોરબી : મોરબી શહેરના એસ. પી. રોડ પર આવેલી આઈકોન રેસીડન્સી દ્વારા સંકટમોચન હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

આવતીકાલે ચૈત્ર પૂનમને તા. ૬ એપ્રિલને ગુરુવારે હનુમાન જયંતિ નિમિત્તે આઈકોન રેસીડન્સી દ્વારા સંકટમોચન હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૯ કલાકે શોભાયાત્રા નીકળશે તેમજ સવારે ૧૧ કલાકે યજ્ઞ પ્રારંભ થશે અને બપોરના ૨:૩૦ કલાકે શ્રીફળ હોમાશે. સાંજે ૭ કલાકે મહાપ્રસાદ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા રાજુભાઈ લીખીયા, ભાવનાબેન લીખીયા, પ્રવિણભાઈ કાસુન્દ્રા, જ્યોત્સનાબેન કાસુન્દ્રા, હાર્દિકભાઈ લીખીયા, મીતાબેન લીખીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text