શુક્રવારે મોરબીના સામાકાંઠાના અનેક વિસ્તારોમાં વીજ કાપ

- text


મોરબી : મેન્ટેનન્સની કામગીરીના કારણે મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી ગોપાલ ફીડર તારીખ 7 એપ્રિલ ને શુક્રવારના રોજ સવારે 7 વાગ્યાથી બપોરે 2-30 વાગ્યા સુધી બંધ રહેશે જેના કારણે સામાકાંઠાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text

શુક્રવારે રોટરી નગર, રિલીફ નગર, અરુણોદય નગર, વિદ્યુત નગર, જનકલ્યાણ નગર, અનંત નગર, ગિરિરાજ નગર, ગોપાલ સોસા, હરીપાર્ક વિદ્યુત નગર, સરસ્વતી સોસાયટી, વર્ધમાન નગર, વિકાસ પાર્ક વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text