કાલે બુધવારે મોરબીના લાતીપ્લોટ, અયોધ્યાપૂરી રોડ સહિતના વિસ્તારમાં વીજ કાપ

- text


મોરબી : આવતીકાલે બુધવારે મોરબીના લાતીપ્લોટ, અયોધ્યાપુરી રોડ, પંચાસર રોડ સહિતના વિસ્તારમાં લાઈનકામની કામગીરીને કારણે વીજ કાપ લાદવામાં આવ્યો છે.

- text

મોરબી પીજીવીસીએલના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આવતી કાલ તારીખ ૨૯ને બુધવાર નાં રોજ મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી લાતી પ્લોટ ફીડરમા સવારે ૦૭:૩૦ વાગ્યા થી બપોરના ૦૩:૩૦ વાગ્યા સુધી નવા લાઈનકામની કામગીરી માટે બંધ રહેશે. જેમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને ૨, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ૨, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે જેની સર્વે ગ્રાહક મિત્રોએ નોંધ લેવા જણાવાયું છે.

- text