મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 31 માર્ચે યોજાશે નવરંગો માંડવો

- text


મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આગામી તારીખ 31 માર્ચના રોજ મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે.

ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 31 માર્ચ ને શુક્રવારના રોજ યોજાનાર નવરંગા માંડવામાં સવારે થાંભલી રોપણ થશે. સાંજે 5-30 કલાકે ભુવાના સામૈયા થશે. સાંજે 6 કલાકે મંદિરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે જેમાં ડાકના કલાકાર મોટી જોગણીવાળા રાવળદેવ મિલનભાઈ અને કાથળભાઈ હાજરી આપશે. જ્યારે 1 એપ્રિલના રોજ સવારે થાંભલી વધામણા થશે.

સાથે જ તારીખ 30 માર્ચ ને ચૈત્રી નવરાત્રી તેમજ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ધકકાવાળી મેલડી માતાજીના મંદિરે રાત્રીના 9 થી 12 વાગ્યે અંજલી ઇવેન્ટ રમેશ ભદ્રા દ્વારા રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો રાસ-ગરબા રમવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text