મોરબીમાં હરેકૃષ્ણ સત્સંગ કેન્દ્ર આયોજિત કથામાં આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ પાસેના મોર્ડન હોલ ખાતે હરે કૃષ્ણ સત્સંગ મંડળ મોરબી દ્વારા ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે 26 માર્ચના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.

આજ રોજ 26 માર્ચ ને રવિવારના રોજ શ્રીમદ ભાગતવ સપ્તાહ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. ગઈકાલે શ્રી રામ જન્મ ઉત્સવ ઉજવાયો હતો. મહત્વનું છે કે ગત તારીખ 22 માર્ચ થી 28 માર્ચ સુધી આ કથા ચાલશે. જેમાં દરરોજ સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી ભાવનગર ઈસ્કોન મંદિરના અધ્યક્ષ વેણુગાયક પ્રભુ વ્યાસપીઠ પર બીરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે આ કથાનો લોકો વધુ લાભ લે તેવી અપીલ કરાઈ છે.

- text

- text