મોરબીના નવા ખારચીયા ખાતે શેરસીયા પરિવાર દ્વારા માતાજીનો પાટોત્સવ ઉજવાશે

- text


મોરબી : તાલુકાના ઓમનગર (નવા ખારચીયા) ખાતે કડવા પાટીદાર શેરસીયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરનો દસમો વાર્ષિક પાટોત્સવ આગામી તારીખ 29 માર્ચ ને બુધવારના રોજ ઉજવવામાં આવશે.

દસમા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે 28 માર્ચ ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે માતાજીના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 29 માર્ચ ને મંગળવારના રોજ સવારે 6.15 કલાકે પ્રાયશ્ચિત વિધિ થશે. સવારે 9-30 કલાકે નકલંક મંદિર બગથળાના મંહત દામજી ભગત આશીર્વચન પાઠવશે. બપોરે 12-30 કલાકે બીડું હોમવામાં આવશે અને સાથે જ 11.30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

- text

- text