- text
મોરબી: આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 99 મો એપિસોડ પ્રસારિત થયો હતો. ત્યારે મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારોએ સાથે મળીને આ કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં આજ રોજ 26 માર્ચ ને રવિવારના રોજ સવારે 11 કલાકે મોરબીના ઉમા ટાઉનશીપ ખાતેના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય ખાતે સૌએ સાથે મળીને આ કાર્યક્રમ નિહાળ્યો હતો.
- text
- text