રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં મોરબી કોંગ્રેસ ધરણા કરશે

- text


મોરબી : કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બે વર્ષની સજા પડયાના બીજા જ દિવસે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. જે અનુસંધાને મોરબીમાં કોંગ્રેસ દ્વારા આવતીકાલે તા ૨૭/૦૩/૨૩ ને સોમવારે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલ છે.

- text

મોરબી કોંગ્રેસે આ ઘટનાની સખત નિંદા કરી છે. સત્યની આ લડતમાં રાહુલ ગાંધી એકલા નથી, લાખો કોંગ્રેસીઓ અને કરોડો લોકો સત્ય અને ન્યાયની આ લડાઈમાં રાહુલજી ની સાથે છે તેવા મેસેજ સાથે મોરબી તાલુકા અને મોરબી શહેર, માળિયા તાલુકા અને શહેર, હળવદ તાલુકા અને શહેર, વાંકાનેર તાલુકા અને શહેર, ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલે સોમવારે સવારે 10: 30 કલાકે સરદાર પટેલની પ્રતિમા પાસે, નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે.

- text