માળીયાના વર્ષામેડીમાં ઘોડો વીજ તારને અડકી જતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : માળીયા તાલુકાના વર્ષામેડી ગામે શ્રી રામ ટ્રેડિંગ નામની પેઢીમાં પ્રાત બાંધવાનો ઘોડો ખસેડતી વખતે ઘોડો પીજીવીસીએલની મુખ્ય લાઈનને અડી જતા વીજ કરંટ લાગવાથી રાજસ્થાનના બાસવાડા જિલ્લાના વતની હરકુંભાઈ હુરતિગભાઈ રાવત નામના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text