- text
તસ્કરો 22 હજાર રોકડા અને ત્રણ મોબાઈલ ચોરી ગયા
મોરબી : મોરબીના પીપરવાડી વિસ્તારમાં આવેલ સાનિધ્યપાર્કમાં તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવી 22 હજાર રોકડા અને ત્રણ મોબાઈલ સહિત 37 હજારની ચોરી કરી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
- text
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ પીપરવાડી વિસ્તારમાં આવેલ સાનિધ્યપાર્કમાં તસ્કરોએ રવિભાઈ રામજીભાઈ સીણોજીયાના રહેણાંક મકાનને નિશાન બનાવી 22 હજાર રોકડા તેમજ ત્રણ મોબાઈલ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
- text