- text
હળવદ : હળવદ તાલુકામાં મધ્યાહન ભોજન યોજના માત્ર કાગળ ઉપર હોય, બાળકોને નાસ્તો ન અપાતો હોવાની એક સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને હેલ્પલાઇનમાં ફરિયાદ કરી છે.
મુખ્યમંત્રી દ્વારા ફરિયાદોના નિવારણ માટે વોટ્સએપ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં સામાજિક કાર્યકર વિશાલ ત્રિવેદીએ ફરિયાદ કરી છે કે હળવદ તાલુકાની સરકારી સ્કૂલોમા ધી 1થી 5 અને 6થી 8માં અભ્યાસ કરતા ગરીબ બાળકોને મધ્યાહન ભોજન યોજનામાં નાસ્તો અપાતો નથી. આ અંગે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
- text
- text