- text
મોરબી: ઘુંટુના પંકજભાઈ વિશ્વનાથભાઈ પંડ્યાએ પોતાની બંને દીકરીના લગ્ન પ્રસંગે આવેલી ચાંદલાની રકમ અન્નક્ષેત્રમાં અર્પણ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મહત્વનું છે કે, ઘુંટુના પંકજભાઈ વિશ્વનાથભાઈ પંડ્યાની બંને દીકરી કોકિલા અને હરેશ્વરીના લગ્ન 22 ફેબ્રુઆરી ને બુધવારના રોજ યોજાયા હતા. લગ્ન નિમિત્તે આવેલી ચાંદલાની રકમ પંકજભાઈ પંડ્યાએ હરિહર અન્નક્ષેત્રમાં અર્પણ કરીને સેવાનું એક અનુકરણીય પગલું ભરીને સમાજને નવી રાહ ચિંધી છે.
- text
- text