મોરબી : મુંબઇ આઈઆઈટીના છાત્રના આપઘાત મુદ્દે કલેકટરને આવેદન

- text


 

સીબીઆઈને તપાસ સોંપવાની દલિત-મુસ્લિમ એકતા સમિતિની માંગ

મોરબી : મુંબઇ આઈઆઈટીમાં અમદાવાદના અનુ.જાતિના છાત્રએ કરેલા આપઘાતના પ્રકરણ મુદ્દે દલિત-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને કલેકટર તંત્રને આવેદન અપાયું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે મુંબઈ આઈઆઈટી હોસ્ટેલ ખાતે તા.12ના રોજ અમદાવાદના અનુ.જાતિના યુવાન દર્શન સોલંકી ઉ.વ.18એ જાતિવાદના કારણે અને માનસિક ત્રાસના લીધે સાતમા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યુ હતું. આ ઘટના આત્મહત્યાની છે કે મર્ડરની તે અંગે સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે. જો આ ઘટનામાં આરોપીની તાકીદે ધરપકડ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

- text

- text