- text
કચ્છથી અમદાવાદ જતી વેળાએ આગળ જતા મોટર સાયકલ ચાલકને બચાવવા જતા કારને અકસ્માત નડ્યો
મોરબી : માળીયા કચ્છ હાઇવે ઉપર ગઈકાલે બપોરે કચ્છથી અમદાવાદ તરફ જતી સિયાઝ કારને અકસ્માત નડતા આ અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજયા હતા જ્યારે અન્ય ત્રણને ઇજાઓ પહોંચી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ લાછના બળદીયા ગામથી અમદાવાદ તરફ જઈ રહેલ સિયાઝ કારના ચાલક કલ્યાણભાઈ નારણભાઇ વેકરિયા પોતાની કારની આગળ જઈ રહેલા બાઇકને બચાવવા જતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી મારી જતા ગાડીમાં બેઠેલા રામબાઈ કલ્યાણભાઈ વેકરિયા અને પ્રકાશભાઈ રામજીભાઈ લાખાણીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલા કનિશાબેન અને તેમના બાળકોને તેમજ કલ્યાણભાઈને ઇજાઓ પહોંચી હતી.
- text
બનાવ અંગે માળીયા પોલીસે ગોવિંદભાઇ કલ્યાણભાઈ વેકરિયાની ફરિયાદને આધારે કલ્યાણભાઈ નારણભાઇ વેકરિયા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text