ટંકારાના રોહિશાળા ગામે કૂવામાં પડી જતા પરિણીતાનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા ઇલાબેન ગોપાલભાઈ મુંધવા ઉ.35 નામના પરિણીતા કોઈ કારણોસર જેશાભાઈ ડાયાભાઇ પરિયાની વાડીમાં આવેલ કૂવામાં પડી જતા મૃત્યુ નીપજયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમા મૃતક ઇલાબેનના 13 વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં બે દીકરા હોવાનું તેમજ સાસુ સસરા સાથે રહેતા હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text