મોરબીમાં વિકલાંગોને સહાયક ઉપકરણો વિતરણ કરાયા

- text


મોરબી : પંચમુખી હનુમાનજી એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા કલેક્ટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પ્રણવ દેસાઇ વોઇસ ઓફ એસએપી દ્વારા આશીર્વાદ ટ્રસ્ટ ફોર સાયલા મારફતે મોરબી જિલ્લાના ૮૫ વિકલાંગ વ્યક્તિઓને સહાયક ઉપકરણો વિતરણ કરવામાં આવ્યા હતા.

- text

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા ઉપરાંત વૈશાલીબેન જોષી (એસડીઓ), ઇલાબેન ગોહિલ (ડેપ્યુટી ડીડીઓ) બળવંતસિંહ ચૌહાણ (જિલ્લા રમત ગમત અધિકારી), ડૉ.વિપુલ સેરસિયા (જિલ્લા બાળ સુરક્ષા અધિકારી) તથા ઉદ્યોગપતિ વિપુલ કુંડારિયા અને ચન્દ્ર કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા

 

- text