ખનીજ માફિયાઓ બેફામ : મોરમ ભરેલી ગાડીને કેમ રોકો છો કહી ગ્રામજનો પર હુમલો

- text


ટંકારાના સજ્જનપર ગામે દારૂ ઢીચીને ખનીજ માફિયાઓએ આતંક મચાવ્યો હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ ટંકારા પોલીસ મથકે લેખિતમાં અરજી આપી

ટંકારા : ટંકારાના સજ્જનપર ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા. જેમાં ખનીજ માફિયાઓ દારૂ ઢીચીને આવી અમારી મોરમ ભરેલી ગાડીને કેમ રોકો છો તેમ કહી કેટલાક ગ્રામજનોને માર માર્યો હોવાની ગ્રામજનોએ આજે ટંકારા પોલીસ મથકે લેખિતમાં રજુઆત કરી આ ખનીજ માફિયા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

- text

ટંકારાના સજ્જનપર ગામના લોકોએ આજે ટંકારા પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, સજ્જનપર ગામે આવેલી ગૌશાળામાં 30થી વધુ ગ્રામજનો સેવા માટે હાજર હતા. ત્યારે કેટલાક ખનીજ માફિયાઓ ગાડી લઈને ચીકકાર દારૂ પીને આવીને ગાળો ભાંડી અમારી મોરમ ભરેલી ગાંડીને તમે કેમ રોકો છો કહીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે સજ્જનપર ગામે નવોદય સ્કૂલ પાસે ખનીજ માફિયાઓ બેરોકટોક ખનીજ ચોરી કરે છે અને બે વર્ષથી ખનીજ ચોરી કરીને આવા તત્વો ગ્રામજનોને પરેશાન કરતા હોવાની અગાઉ ખાણ અને ખનીજ વિભાગ તેમજ કલેકટરને રજુઆત કરી હતી. પણ હવે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પોલીસ આવા ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

- text