હળવદમાં પોતાની જાતે લમણે ગોળી મારી યુવકે કર્યો આપઘાત

- text


શહેરના પ્રમુખસ્વામી નગરમાં બન્યો બનાવ : લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઈ 

હળવદ : હળવદ શહેરમાં આજે ઢળતી સાંજે એક યુવકે પોતાની જાતે જ લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આ યુવકે શા માટે આત્મહત્યા કરી તેનું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં રહેતા લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વરુ(આહિર) ઉંમર વર્ષ-46 આજે સાંજના સમયે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર લમણે ગોળી મારી દેતા ગંભીર હાલતમાં પરિવારજનો દ્વારા હળવદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જોકે હાલત અત્યંત નાજુક હોય વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે વિરમગામ નજીક યુવકનું મોત થયું હતું. મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી જ્યાં પરિવારજનો સહિત સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા મૃતકની લાશને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવી હતી. જોકે હજુ સુધી યુવકે શા માટે આત્મહત્યા કરી તેનું કારણ સામે આવ્યું નથી.

- text

- text