મારી પત્નીને છૂટાછેડા કરાવી કેમ લઈ ગયો ? હવે તો મારી જ નાખું

- text


મોરબી મહેન્દ્રનગર સત્યમપાર્કમાં અડધી રાત્રે પૂર્વ પત્ની અને તેના પતિને ધમકી આપતા ફરિયાદ

મોરબી : મોરબીના મહેન્દ્રનગર સત્યમ પાર્કમાં અડધી રાત્રે મકાનમાં પ્રવેશી માથા ફરેલા યુવાને મારી પત્ની સાથે છૂટાછેડા કરાવી કેમ લઈ ગયો તેવું કહી પૂર્વ પત્ની અને તેના પતિને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રેમજીનગર મકનસર ગામે રહેતા યુવાન વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ હળવદ તાલુકાના ધનાળા ગામના વતની અને હાલમાં મહેન્દ્રનગર આઈટીઆઈ સામે સત્યમપાર્કમાં રહેતા કુલદીપભાઈ પરસોત્તમભાઈ રાઠોડે આરોપી મહેશ તુલશીભાઈ પરમાર રહે.પ્રેમજીનગર મકનસર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી મહેશની પત્ની ભારતી સાથે છૂટાછેડા થઈ જતા ફરિયાદી કુલદીપભાઈએ એક વર્ષ પૂર્વે લગ્ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી ગતરાત્રિના મહેશ તેમના ઘરમાં ઘૂસ્યો હતો અને મારી પત્ની સાથે છૂટાછેડા કરાવી કેમ લઈ ગયો તેમ કહી જાનથી મારી નાખવા ધમકી આપી દેકારો થતા બાજુના મકાનની દીવાલ ઠેકી નાસી ગયો હતો.

- text

વધુમાં કુલદીપે ફરિયાદમાં જણાવ્યું હતું કે આ અગાઉ ગત તા.15 ઓક્ટોબરના રોજ પણ આરોપી મહેશ રાત્રીના અઢી વાગ્યે તેમના ઘરમાં કુહાડી સાથે આવ્યો હતો અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જો કે સમાજના આગેવાનો સાથે વાત કરી આ મામલે સમાધાન કરવા પ્રયાસ ચાલી રહ્યા જતા ત્યારે ગઈકાલે ફરીથી મહેશે રાત્રીના હંગામો કરતા સીટી બી ડિવિઝન પોલીસે કુલદીપની ફરિયાદને આધારે આરોપી મહેશ વિરુદ્ધ આઇપીસી કલમ 447, 504, 506 (2) અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text