જુના ઘાંટીલા ઉમિયા પરિવાર ગ્રુપ દ્વારા 1 જાન્યુઆરીએ સ્નેહમિલન યોજાશે

- text


મોરબી : જુનાઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગ્રુપ મોરબી દ્વારા આગામી તારીખ 1 જાન્યુઆરી ને રવિવારના રોજ 21મો સ્નેહમિલન સમારોહ યોજાશે.

જુનાઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગ્રુપ- મોરબી દ્વારા 1 જાન્યુઆરીએ સાંજે 4 કલાકે મોરબીના ધુનડા રોડ પરના ઉજ્જવલ પાર્ટી પ્લોટ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ તકે તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, અગ્રણી બિલ્ડર પરેશભાઈ પટેલ, જુનાઘાંટીલાના સરપંચ હેતલબેન જાકાસણીયા, જળક્રાંતિ, ગૌક્રાંતિ, પંચમવેદના રચયિતા મનસુખભાઈ સુવાગિયા, દ્વિપકુમાર સાબપરા, મહંત દામજી ભગત સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.

- text

- text