મોરબી માળીયા હાઇવે ઉપર વેગનઆર હડફેટે બાઈક ચાલકનું મોત

- text


ખોખરા હનુમાનજી મંદિરે દર્શન કરવા જતાં કાકા ભત્રીજાને અકસ્માત નડ્યો

મોરબી : મોરબીથી ખોખરા હનુમાનજી મંદિરે દર્શન કરવા જતા કાકા અને ભત્રીજાના બાઇકને મોરબી માળીયા હાઇવે ઉપર ભરતનગર નજીક પુરપાટ ઝડપે આવતી વેગનઆર કારે હડફેટે લેટઆ સારવાર દરમિયાન ભત્રીજાનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે કાકાને ઇજાઓ પહોચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર રહેતા જીજ્ઞેશભાઈ રોહિતભાઈ ચાવડા અને તેમના ભત્રીજા રાહુલભાઈ પ્રભાતભાઈ ચાવડા રહે. વિનાયક નગર રાજકોટ વાળા પોતાનું બાઈક લઈ ખોખરા હનુમાનજી મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે મોરબી માળીયા હાઇવે ઉપર ભરતનગર નજીક સામેથી પુરપાટ ઝડપે આવેલી જીજે – 11 – બીએચ – 5091 નંબરની વેગનઆર કારના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચલાવી રહેલા રાહુલભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

અકસ્માતના આ બનાવમાં બાઈક પાછળ બેઠેલા જીજ્ઞેશભાઈને ગંભીર ઇજાઓ પહોચતા હાલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને જીજ્ઞેશભાઈની ફરિયાદને આધારે પોલીસે વેગનઆર કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text