બહેરીન અને સાઉદી અરેબિયામા એન્ટી ડંપિંગ ડ્યુટી દૂર થાય તેવા સંકેત

- text


મોરબી સિરામિક એસોસિએશન દ્વારા કોમર્સ મિનિસ્ટરને રજુઆત બાદ હકારાત્મક અભિગમ

મોરબી : સિરામિક ઉત્પાદન ઉપર જીસીસીના 6 દેશો પૈકી હવે ફક્ત બહેરીન અને સાઉદી અરેબિયામાં એન્ટી ડંપિંગ ડ્યુટી લાગતી હોય જે દૂર કરવા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગઈકાલે દિલ્હી ખાતે કોમર્સ મિનિસ્ટરને રજુઆત કરવામાં આવતા ટૂંક સમયમાં જ બન્ને દેશનો પ્રશ્ન હલ થાય તેવા સકારાત્મક અભિગમ સાથે પ્રત્યતર મળતા સિરામિક ઉદ્યોગ આશાવાદી બન્યો છે.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખોની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ મોરબી સીરામીક ઉદ્યોગની પ્રોડક્ટ ઉપર જુન 2020થી જીસીસીના છ દેશોમા એન્ટીડંમ્પીંગ ડ્યુટી લાગેલી હતી. તેના કારણે મોરબી સીરામીક ઉદ્યોગ જીસીસીના દેશોમા એક્સપોર્ટ ઉપર મોટો ફટકો પડતા જેના અનુસંધાને જીસીસીના એન્ટીડંમ્પીંગના પ્રશ્ર્નો માટે સાસંદ મોહનભાઈ કુંડારીયા મારફતે કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજુઆતો કરતા કેન્દ્ર સરકારના સતત પ્રયત્નોથી હાલમાં જીસીસીના 6 દેશોમાથી ફક્ત બહેરીન અને સાઉદી અરેબીયા આ બન્ને દેશોમા જ ડ્યુટી લાગે છે.

- text

વધુમાં આ બન્ને દેશોમા લાગતી ડ્યુટીના પ્રશ્ર્નો માટે કોમર્સ મિનીસ્ટ્રી દ્વારા સતત કરી રહેલ પ્રયત્નો માટે સાસંદ મોહનભાઈ કુંડારીયાની આગેવાનીમા મોરબી સીરામીક એસોશિએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા તેમજ વિજયભાઈ પટેલ, પ્રદીપભાઈ કાવઠીયા દ્વારા દિલ્હી ખાતે કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ તેમજ કોમર્સ મિનીસ્ટ્રીના અઘિકારીઓ સાથે બેઠક યોજી રજુઆત કરતા બન્ને દેશોમા લાગતી ડ્યુટી માટે સકારાત્મક પરિણામ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

- text