મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ગૌમાતા અને નંદીની સારવાર માટે હેલ્પલાઈન શરૂ

- text


મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા બિનવારસુ ગૌમાતા અને નંદીની વિનામૂલ્યે સારવાર કરવા માટે હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી છે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અત્યાર સુધી શ્વાન અને પક્ષીઓની સારવાર કરવામાં આવતી હતી. હવેથી કર્તવ્ય ગૌમાતા-નંદી હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી છે અને બિનવારસુ ગૌમાતા અને નંદીની પણ વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે. તો આ માટે કોઈપણ વ્યક્તિ બિનવારસુ ગૌમાતા અને નંદીની સારવાર માટે હેલ્પલાઈન નંબર- 7474868886, 7574885788 પર સંપર્ક કરી શકે છે.

- text

- text