મોરબીમાં અઢી વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને આજીવન કેદ

- text


 

 

ડિસ્ટ્રીક્ટ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો, બાળકીના માતા પિતાને રૂ. 5.28 લાખનું વળતર પણ ચૂકવાશે

મોરબી : મોરબીના બેલા નજીક અઢી વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી દાખલો બેસાડ્યો છે. આ સાથે બાળકીના માતા પિતાને રૂ.5.28 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા નજીક રોસાબેલા કારખાનામાં કામ કરતા શ્રમિકની અઢી વર્ષની દીકરી ગત તા.3 મે 2018ના રોજ પરિવાર સાથે સૂતી હતી. ત્યારે નજીકમાં રહેતા સૂરજ ગોરેલાલ ચૌહાણ નામના શખ્સે બાળકીનું રાત્રીના અપહરણ કરી દુષ્કર્મ આચરી તળાવના પાણીમાં ફેંકી હત્યા કરી હતી.

- text

આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસે સૂરજ નામના શખ્સને પકડી પાડી તેની સામે કલમ 302, 363, 376(2), 376એબી, તથા પોકસો કલમ 4,6,18 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આજે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આરોપી સૂરજને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે ભોગ બનનાર દીકરીના માતા પિતાને રૂ. 5.28 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

- text