ધ્રુવનગર ખાતે જીવામામા સાહેબના મંદિરના લાભાર્થે કાલે ગુરૂવારે નવરંગો માંડવો

- text


 

મોરબી: આવતીકાલે તારીખ 24 નવેમ્બર ને ગુરુવારના રોજ ધ્રુવનગર ખાતે જીવામામા સાહેબના મંદિરના લાભાર્થે આવતીકાલે નાવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જીવામામા સાહેબ મિત્રમંડળ દ્વારા આયોજિત આ નવરંગા માંડવામાં આવતીકાલે 24 નવેમ્બરના રોજ સવારે 9 કલાકે મામાદેવનું પૂજન થશે. સાંજે 6 કલાકે ધ્રુવનગર ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને રાત્રે 9 કલાકે દકડમરુંનો કાર્યક્રમ યોજાશે. ભુવાજીના સામૈયા લજાઈ ચોકડી ખીજડાવાળા મામાદેવના મંદિરથી જીવામામા સાહેબના મંદિર સુધી યોજાશે.

- text

- text