સ્વામિનારાયણ મોરબી ગુરુકુલ દ્વારા 17 નવેમ્બરે યોજાશે અમૃત સંમેલન

- text


મોરબીઃ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની મોરબી ગુરુકુલ શાખા દ્વારા મોરબી શહેરના આંગણે આગામી તારીખ 17 નવેમ્બરના રોજ અમૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા 17 નવેમ્બર ને ગુરુવારના રોજ રાત્રે 8-30 કલાકે મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલ પાછળ આવેલા સનસિટી ગ્રાઉન્ડમાં અમૃત સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી, મહંત દેવપ્રસાદદાસજી સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે. આ અમૃત સંમેલનમાં રાજકોટ ગુરુકુલની તમામ શાખાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સર્વે ભક્તજનો હાજરી આપશે. આ અમૃત સંમેલનમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. આ ઉપરાંત અમૃત સંવાદ, સંત દર્શન-સત્સંગ, રૂપકઃ ઘર બને એક મંદિર જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાર્યક્રમ બાદ અલ્પાહાર પ્રસાદનું પણ આયોજન કરાયું છે.

- text

 

- text