મોરબીમાં ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી: તારીખ 10 તથા 11 નવેમ્બર એમ બે દિવસ દરમિયાન સંભવ ઈનીસીએટિવ દ્વારા મોરબી જિલ્લા પોલીસના સહયોગથી લક્ષ્ય અભિયાન અંતર્ગત સંભવ ઈનીસીએટિવનાં કો-ઓર્ડીનેટર એડવોકેટ મિત રવેશિયા તથા મોરબી જિલ્લા પોલીસનાં અધિકારીઓ દ્વારા લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણ જેવા કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે જાગૃતતા ફેલાય તેવા હેતુથી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તેમજ ટંકારાની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મોરબીનાં જાહેર સ્થળો પર સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તેવા આશયથી લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણનાં કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે વિસ્તૃત સમજણ આપી હતી. આ અભિયાનમાં ટેક્ષેસન પ્રેક્ટિસનર વૃતિકભાઈ બારા પણ જોડાયા હતા. લોક અદાલત આવતીકાલે 12 નવેમ્બરનાં રોજ યોજાશે.

- text

- text