મોરબીના બરાસરા અને બાવરવા પરિવાર દ્વારા ગંગાનાથ મહાદેવ આશ્રમે યોજાયેલી ભાગવત કથા સંપન્ન

- text


મોરબીઃ મોરબીના શામજીભાઈ માવજીભાઈ બરાસરા અને કૌશિકભાઈ ભગવાનજીભાઈ બાવરવા દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભીમપુરા ચણોદ ખાતે આવેલા ગંગાનાથ મહાદેવ આશ્રમે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગતવ સપ્તાહ જ્ઞાનયજ્ઞ આજ રોજ તારીખ 8 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ છે.

ગંગાનાથ મહાદેવ આશ્રમ ખાતે નર્મદા મૈયાના સાનિધ્યમાં તારીખ 2 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. વ્યાસપીઠ પર શાસ્ત્રી કેતનભાઈ (સુરત) બિરાજમાન થઈ શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યું હતું. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકોએ કથાનું શ્રવણ કર્યું હતું.

- text

- text